મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ગુજરાત સરકાર દ્રારા તેજસ્વી અને જરૂરીયાતમંદ વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા મા...
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
ગુજરાત સરકાર દ્રારા તેજસ્વી અને જરૂરીયાતમંદ વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આર્થીક સહાય મેળવવા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શરૂ કરવામાં અવેલ છે.
સહાય મેળવવા ની પાત્રતા
1. જે વિધાર્થી ને થોજનાનો લાભ લેવો હોઇ તેના વાલીની વાર્ષીક આવક 6,00,000 /- થી વધુ ન હોવી જોઇએ.
2.સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહ કે સામાન્ય પ્રવાહની પરીક્ષા માં 80 કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિધાર્થી આ યોજનાનો લાભ મેળવી શકે.
3.ડીપ્લોમાં કક્ષાના અભ્યાસ ક્રમો માટે ધોરણ 10 ની પરીક્ષા માં 80 કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિધાર્થી આ યોજનાનો લાભ મેળવી શકે.
4.સ્વ નીર્ભર અભ્યાસક્રમો માં એન.આર.આઇ બેઠકો પર પ્રવેશ મેળવતા વિધાર્થી ને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
સંકટ મોચન યોજના દ્રારા મળશે 20000 ની સહાય
મળવા પાત્ર સહાય
1.સ્નાતક કક્ષાના મેડીકલ અને ડેન્ટલનુ સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયે ટ્યૂશન ફીની 50% રકમ અથવા રૂપિયા 2,00,000/- તે બે પૈ હોય તેટલી સહાય.
2.સ્નાતક કક્ષાના પ્રોફેશન સ માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની 50% રકમ અથવા રૂપિયા 25000/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય.
3.સ્નાતક કક્ષાના કોર્ષ નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની 50% રકમ અથવા રૂપિયા તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય.
4.સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની 50% રકમ અથવા રૂપિયા 25,000/- તે બે પૈકી જે હોય તેટલી સહાય
5.સરકારી મેડીકલ, ડેન્ટલ, ઇજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિદ્યાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીના જે સંખ્યામાં વિદ્યાર્થીઓને સ્થળાંતર કરવું પડે અને છેલ્લે જો કોઇ પણ સરકારી કોલેજમાં તેઓને પ્રવેશ ન મળે અને ફરજિયાતપણે તેઓને સ્વ-નિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો આવા આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાથીઓને પ્રવેશ મેળવેલ સ્વ-નિર્ભર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની ટ્યુશન ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર છે.
સાધન પુસ્તક સહાય
મેડીકલ/ડેન્ટલના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે રૂ.10,000, ઇજનેરી/ટેકનોલોજી / ફાર્મસી/ આર્કિટેક્ચરના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે રૂ.5,000 તથા ડીપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે રૂ. 3,000 મળવાપાત્ર છે. અભ્યાસક્રમની અવધિ દરમ્યાન સાધન-પુસ્તક સહાય માત્ર એક જ વખત મળવાપાત્ર છે.
જરૂરી આધાર પુરાવા
- અરજદારના પીતાનો આવક નો દાખલો
- સેલ્ફ ડેકલેરેસન ફોર્મ
- એડમીશન લેટર
- બેંક પાસબુક/કેન્સલ ચેક
- ટયુસન ફી ની રસીદ
- પાનકાર્ડ (પીતાનુ)
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- કોલેજ નો mysy શીષ્યવૃતી બાબતે લેટર
- ઇન્કમટેક્ષ રીટન
- રીટન ન ભરતા હોઇ તો રીટન ભરવા પાત્ર આવક ના હોવાનુ ડેકલેરેશન ફોર્મ
- પાસપોર્ટ સાઇજ ફોટો
- ધોરણ 12 ની માર્કશીટ
અરજી કરવા માટે ની પ્રક્રિયા
- યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.(http://mysy.guj.nic.in)
- ઓનલાઇન અરજી કર્યા બાદ જરૂરી દસ્તાવેજો સાથે વિદ્યાર્થી ની ખરાઇ હેતુ રાજ્યમાં આવેલા કુલ ૯૧ હેલ્પ સેન્ટર્સ પૈકીના નજીકના હેલ્પ સેન્ટર ખાતે જવાનું રહે છે.
COMMENTS