સંકટ મોચન યોજના દ્રારા મળશે 20000 ની સહાય નમસ્કાર મીત્રો આપણે જાણીશું ગુજરાત સરકારશ્રી દ્રારા આપવામાં આવતી સંકટ મોચન યોજના વીશેન...
સંકટ મોચન યોજના દ્રારા મળશે 20000 ની સહાય
નમસ્કાર મીત્રો આપણે જાણીશું ગુજરાત
સરકારશ્રી દ્રારા આપવામાં આવતી સંકટ મોચન યોજના વીશેની માહીતી જેમાં આપણે જાણીસુ આ
યોજના નો લાભ કોને મળશે, આ યોજના માટેની અરજી કઇ કચેરીમાં કરવાની રહેશે તથા આ યોજના
માટે જરૂરી ડોકયુમેન્ટ શું આપવા ના રહેશે.
આ યોજના ગુજરાત સરકાર દ્રારા બહાર પાડવામાં આવેલી
છે.આ યોજનાનુ નામ કુટુબ સહાય યોજના (સંકટ મોચન યોજના) છે.
લાભ કોને મળશે
1.આ યોજનાનો લાભ એ વ્યકતી ને મળશે જેની પાસે બી.પી.એલ. કાર્ડ છે.
અને બી.પી.એલ. કાર્ડ નો સ્કોર (0 થી 20 ની ) અંદર આવતો હોઇ.
2.મુખ્ય કમાનાર વ્યકતી નું મૃત્યુ
15-08-1995 પછી કુદરતી રીતે કે અકસ્માતથી થયેલ હોઇ.
3.અકસ્માત પછી ના બે વર્ષની અંદર અરજી
કરેલી હોવી જોઇએ. અરજી નામંજુર થયેલ હોઇ એવા સંજોગોમાં નામંજુર થયા ના 60 દિવસ માં
સંબંધિત વિસ્તારના પ્રાંત અધિકારી ને અરજી કરી શકાય.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
કયા કયા પુરાવા રજુ કરવાના રહેશે.
અરજદારનો ઉમર નો પુરાવો
મરણ નો દાખલો
અકસ્માત થી અવસાન થયેલ હોઇ તો તે અંગેના આધારો
ની પ્રમાણીત નકલ
ગુજરનાર વ્યકતી
નુ પેઢીનામુ
મરણ પામનાર વ્યકતી ની ઉમરનો દાખલો
રેશનકાર્ડ ની નકલ
બીપીએલ નો દાખલો
સોગંદનામુ
વિધવા હોવા અંગેનુ પ્રમાણપત્ર
બેંક પાસબુક ની નકલ
આધાર કાર્ડ ની નકલ
કેટલો લાભ મળશે
આ યોજના દ્રારા સંબંધિત વ્યકતી ને વીસ
હજાર(20000) ની સહાય ચુકવવામાં આવશે.
અરજી કયાં કરવાની રહેશે
આ યોજના નો લાભ લેવા માટે સંબંધિત વિસ્તાર
ની મામલતદાર કચેરી માં અરજી કરવાની રહેશે.
ફોર્મ ડાઉનલોડ કરવા માટે
COMMENTS